એક નાનકડી ચકલી અને એક ગીધ વચ્ચે હરીફાઈનું આયોજન થયું. જે વધારે ઊંચે પહોંચશે તે જીતશે એવું નક્કી થયું. ચકલી ફરરર ફરરર કરતી ઊચે જવા લાગી. એ જ વખતે તેને નીચે પડી રહેલાં બે જીવડાં દેખાયાં. તેણે એ બંનને પણ પોતાની સાથે લીધાં અને ધીરે ધીરે ઉપર જવા લાગી. એ દરમ્યાન ગીધ તો ખૂબ ઊંચે પહોંચી ગયું હતું, પરંતુ એટલામાં જ તેને એક સડેલી લાશ દેખાઈ. આથી તે હરીફાઈ ભૂલી જઈને તે લાશનું માંસ ખાવા માટે નીચે આવી ગયું. એના પરિણામે ચકલી હરીફાઈ જીતી ગઈ. એક સંત દૂર બેઠા બેઠા આ ઘટના જોઈ રહ્યા હતા. તેઓ બોલ્યા કે -
*ઊંચે ઉઠે ફિર ના ગિરે, યહી મનુજ કો કર્મી ઔરન લે ઉપર ઉઠે, ઈસસે બડો ન ધર્મ'
એ વાત સાચી છે કે ઊંચે ઉડ્યા પછી ફરી પાછું પતન થવાની પાછળ મનુષ્યનાં કુકર્મો જ જવાબદાર હોય છે. જે લોકો શાંતિપૂર્વક ધર્મના માર્ગે ચાલતા રહે છે તેઓ જ ઉન્નતિ કરવામાં સફળ થાય છે.
સંદર્ભ સ્ત્રોત:- યુગશક્તિ ગાયત્રી,ફેબ્રુઆરી ૨૦૨૧
0 Comments