Subscribe Us

Header Ads

શિક્ષકની ગરિમા

    આજે તારીખ: ૯/૮/૨૦૧૫ ના રોજ ગાયત્રી મંદિર પાટણ ખાતે સવારે 9:00 થી 12:00 કલાક દરમિયાન યોજાયેલી શિક્ષક ગરીમા શિબિરમાં ભાગ લેવાનો અવસર મળ્યો.તજજ્ઞો તથા વક્તાઓએ શિક્ષક ગરિમાને ઉજ્જવળ કરવા પોતાના સંબોધનોમાં કેટલાક વિચારો વ્યક્ત કર્યા જે આપની વચ્ચે શેર કરવા ઇચ્છુ છું.
·         સમાજમાં શિક્ષકની ગરિમા ઉચ્ચ છે.
·         અબ્દુલ કલામ પણ પોતાને મ્રુત્યુ પછી જો લોકો યાદ રાખવા માંગતા હોય તો શિક્ષક તરીકે યાદ રાખે તેવું ઇચ્છતા હતા.
·
·         સમાજના સૌથી ઉંચા શિખરે શિક્ષક છે.
·
·         ઉતર્યો અમલદાર કોડીનો એ ઉક્તી શિક્ષકને લાગુ પડતી નથી. શિક્ષકના રીટાયર્ડમેન્ટ પછી પણ તેનું માન એટલુંજ રહે છે.
·
·         એકવીસમી સદી જ્ઞાન અને માહિતીની સદી છે તો શિક્ષકે પોતાના જ્ઞાનને અપડેટ રાખવું પડશે.
·
·         આપણો વિધ્યાર્થી આપણા વ્યક્તીત્વનું દર્પણ છે.અને તેનું પ્રતિબિંબ સમાજમાં ઝીલાય છે.
·         વાંચે તે વિચારે,વિચારે તે કાર્ય કરે,અને કાર્ય કરનાર જ કંઇક પામે છે.
·
·         વ્યક્તીના ઉત્થાન અને પતનનું કં. કારણ હોય તો તે તેના વિચારો છે.
·
·         શાળામાં એક તાસ વાંચનાલયનો હોવો જોઇએ.
·
·         વિધ્યાર્થી એક બિજ છે અને તેને પોષીને આપણે તેનું વટવ્રુક્ષ બનાવવાનું છે.
·
·         બાળકના ચારીત્ર્યનું ઘડતર કરતા પહેલાં શિક્ષકે પોતાના ચારેત્ર્યને નિખારવું પડશે.
·
·         શિક્ષકે બીજાની વાહ..વાહ.. ન કરતાં પોતાની ગરિમા જાળવવી જોઇએ.
·
·         મારો શિક્ષક ખોવાયો છે,
·      કોઇને જડે તો આપજો,
રાષ્ટ્રનો ઘડવૈયો ખોવાયો છે
      કોઇને જડે તો આપજો.
·         આપણા બાળકના વિચારો બદલવા આપણો દ્રષ્ટ્રીકોણ બદલવો પડશે.
·
·         શિક્ષક એટલે   સંસ્કાર સાથે શિક્ષણ
·                ક્ષમા સાથે શિક્ષણ
                      કર્તવ્યપણા સાથે શિક્ષણ
·         જે સૌભાગ્યવાન છે તે જ શિક્ષક બની શકે છે.
·
·         મારો વર્ગ મારું સ્વર્ગ છે.
·         આપણામાંજ રામ અને રાવણ છે.
·
·         આ દુનિયાનો દરેક માણસ મહામાનવ છે.
·         આ સંસાર કર્મની ખેતી છે જેવું વાવશે તેવું લણશો.
                                                                       સંકલન

                                                                      મૌલિક પટેલ  

Post a Comment

0 Comments