Subscribe Us

Header Ads

શાળા પ્રવેશોત્સવ :૨૦૧૩

જૂથ સંસાધન કેન્દ્ર :ઝઝામ ખાતે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગુજરાત સરકારના મંત્રીશ્રી લિલાધર વાઘેલા તથા રાધનપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી નાગરજીભાઇ ઠાકોર ,પાટણ જિલ્લાના શિક્ષણાધિકારીશ્રી નૈષધભાઇ મકવાણા સાહેબ તથા સાંતલપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી પોરણીયા સાહેબે ઉપસ્થીત રહીને ધોરણ ૧, ૬ ૭,૮ માં પ્રવેશ પામતા બાળકોને શાળામાં હેતથી આવકારીને પ્રવેશ આપ્યો હતો. આ પ્રેસંગે બોલતા મંત્રીશ્રી લિલાધર વાઘેલાએ સમાજના લોકોને શિક્ષણ પ્રત્વે જાગ્રુત થઇ પોતાના બાળકોને નિયમીત શાળામાં મોકલવા પર ભાર મુક્યો હતો. શિક્ષણથી વ્યક્તીનું આર્થીક તથા સામાજિક મહત્વ વધે છે તે તેમણે પોતાની આગવા અંદાજમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્યશ્રી નાગરજીભાઇએ પણ બાળકો ભણી ગણીને આગળ આવશે તો વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી કરશે તથા પોતાના ગામનું કલ્યાણ કરશે તેવી સમજ લોકોને આપી હતી.

Post a Comment

0 Comments