Subscribe Us

Header Ads

વિધ્યારંભ સંસ્કાર ( શાળા પ્રવેશોત્સવ)

જૂથ સંસાધન કેન્દ્ર: ઝઝામ,તા:સાંતલપુર,જિ:પાટણ ખાતે ધોરણ ૧ માં પ્રવેશ પામતા બાળકો માટે વિધ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યા. પાટણ જિલ્લાના શિક્ષણના રાહબર શ્રી પી.એ.જલુ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી સી.આર.સી. ઝઝામ ખાતે તારીખ:૧૨/૦૬/૨૦૧૩ ના રોજ વિધ્યારંભ સંસ્કાર નું આયોજન ગાયત્રી પરીવાર,રાધનપુર ના સહયોગથી કરાવવામાં આવ્યું હતું. વિવિધ સંસ્કારલક્ષી પ્રવ્રુત્તીઓ પણ કરાવવામાં આવી જેમકે વ્યશનમુક્તી અભિયાન વિધ્યારંભ સંસ્કાર શાળા પવિત્રીકરણ રક્ષાસુત્ર કાર્યક્રમ આ સંસ્કાર કાર્યક્રમમાં ક્લસ્ટરના તમામ શિક્ષકોને શાળા સમય બાદ ગુરૂજન સંસ્કાર વડે પવિત્રીકરણ કરવામાં આવ્યા તથા પોતાના વિધ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ આપી સાચા અર્થમાં સમાજઉપયોગી વ્યક્તી બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા. વિધ્યારંભ સંસ્કારની સાથે સાથે શૈક્ષણીક યજ્ઞ પણ કરાવવામાં આવ્યો. જેમાં ધોરણ ૧ માં પ્રવેશ પામતા બાળકો,ક્લસ્ટરના શિક્ષકો,તમામ આચાર્યશ્રીઓ,સી.આર.સી. તથા બી.આર.સી. શ્રી રણછોડજી જાડેજાએ યજ્ઞમાં આહુતી આપીને સતસંકલ્પ લિધા હતા.

Post a Comment

0 Comments